Numbers 30:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેના પિતા તે વિષે સાંભળીને તે દિવસે જો તેને મનાઈ કરે, તો જે સંકલ્પો તથા વચનો જે વડે તેણે પોતાની આધીનતા દર્શાવેલી છે તે કાયમ રહે. તેના પિતાએ તેને ના પાડી હોવાથી યહોવાહ તેને મુક્ત કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ જો તેના પિતાને માનતાની ખબર પડે અને તે તેને પૂર્ણ કરવાની મના કરે તો તે તેને માટે બંધનર્ક્તા ગણાશે નહિ. તેના પિતાએ તેને પૂર્ણ કરવાની મના કરી હોવાથી તે બંધનર્ક્તા નથી અને પ્રભુ તેને ક્ષમા કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેના પિતા સાંભળે તે દિવસે જો તે તેને મના કરે, તો તેની માનતાઓ, અથવા જે બંધનોથી તેણે પોતાના જીવને બાંધ્યો હોય તેઓમાંનું એકે કાયમ રહેશે નહિ; અને યહોવા તેને ક્ષમા કરશે, કેમ કે તેના પિતાએ તેને મના કરી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જો તેના પિતાને જે દિવસે જાણ થાય તે જ દિવસે તેણીને વચન પુરુ કરવાની મનાઈ કરે તો તે તેને પુરુ કરવા બંધનકર્તા ન રહે, તેના પિતાએ તેને રોકી હોવાથી યહોવા તેને વચન તોડવા માંટે દોષિત ગણે નહિ.